Skip to main content

Posts

Showing posts from October, 2019

અકુતાગાવાના “રાશોમોન”થી કુરોસાવાના “રાશોમોન” તરફ: કેટલાક અવલોકન

    ૧. માનવિય દ્રષ્ટિકોણ બહુમુખી હોય છે.   પરંતુ ,  એ જોવાની રીત અને જોયેલા દ્રશ્યોને શબ્દરૂપી અથવા બીજા કોઈ સંકેતોમાં રજુ કરવા એ વધુ રસપ્રદ છે.   બીજા શબ્દોમાં મુકું તો ,  આપણા દ્રષ્ટિકોણની પૂર્ણ રજૂઆત ખુબ જ મહત્વની છે ,  કારણ કે આ રજૂઆત હંમેશા પૂર્વગ્રહ મુક્ત હોઈ શકતી નથી.   કોઈ પણ પ્રકારનું વર્ણન આપણા પૂર્વગ્રહ ,  કલ્પના ,  મર્યાદા અને પ્રાથમિકતાથી દુષિત હોય છે.   જાપાનીઝ ફિલ્મ   ‘રાશોમોન’   ( Rashomon) 1   એક જ ઘટનાની ઘણી બધી રજુઆતો પ્રેક્ષક સમક્ષ મુકે છે.   જંગલમાં એક ઘટના ઘટે છે ,  ત્રણ વ્યક્તિ એ ઘટનામાં સંકળાયેલ છે ;  એકનો બળાત્કાર થાય છે અને એકનું મૃત્યુ.   દરેક રજૂઆતમાં આ સાતત્ય છે.   દરેક વ્યક્તિ પોતાની એક અલગ રજૂઆત મુકે છે ;  દરેકનું પોતાનું એક સત્ય છે.   એક પ્રેક્ષક તરીકે આપણને કોઈ એક ચોક્કસ સત્ય મળતું નથી.   પરંતુ ,  આ વર્ણનો એક જ ઘટના પરના વિવિધ દ્રષ્ટિકોણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે.   ફિલ્મમાંથી કોઈ એક સત્ય શોધવું શક્ય નથી લાગતું.   આપણે ...