Skip to main content

Posts

Showing posts from 2015

સ્ટ્રીટ આર્ટ: ધ સીટીસ્કેપ

૧. ૧૯૮૪ના જુલાઈ માસમાં પાણીગેટ શાકમાર્કેટની સામે આવેલ બાવચાવાડના સરકારી દવાખાનામાં વડોદરા શહેર-જીલ્લામાં જન્મ થયો. માંડવી-લાડવાળા વિસ્તારમાં થતા નિયમિત કોમી-તોફાનો અને તંગદીલીને કારણે ૧૯૮૬માં જ અણસમજ શહેરને પાવી-જેતપુર જેવા ગામડા ગામમાં બદલાવાનો નિર્ણય લીધો. જેમ અંગ્રેજી સાહિત્યના અભ્યાસ સંદર્ભે કહેવાય છે – Beowul થી Virginia Woolf – તેમ જ મારું પણ KG થી PG પાવી જેતપુર ગામમાં આટોપાય ગયું હોત. પરંતુ સદભાગ્યવશ PGના અભ્યાસઅર્થે હું વડોદરા આવ્યો ૨૦૦૪માં અને ૨૦૦૬ સુધી મારો અનુસ્તાતક પદવીનો અભ્યાસ ચાલ્યો. એ ગાળા દરમિયાન એક શાળામાં નાનકડી નોકરી પણ મળી, જેમાં વડોદરાને વધુ નજીકથી, વધુ સારી રીતે જોવાનો અવસર પ્રાપ્ત થયો. લગભગ ૨૦ વર્ષના અંતરે ફરી વડોદરામાં ઘર થયું. આ ૨૦ વર્ષના જેતપુર-વાસમાં વડોદરાને, અને આ બન્ને જગ્યાઓના અનુભવે, દુનિયાને થોડી તટસ્થતાપૂર્વક જોતા શીખવ્યું.         વડોદરામાં પુનઃપ્રવેશ બાદના મારા અનુભવો, પ્રશ્નો, અને મારું જુદાપણું, શહેરને જેવું છે તેવું ન સ્વીકારવાની, ન સ્વીકારી શકવાની, વૃતિ, એક તદ્દન અજાણ્યા કલાકારની કૃતિઓમાં મળી. જે કલાક...

Adieu au Langage: An Essay on Perception

What's in a name? that which we call a rose By any other name would smell as sweet; - William Shakespeare 1 Jean-Luc Godard, undoubtedly, one of the synonyms of innovations and experimentations in the world of cinema brings Adieu au Langage , 2 a narrative essay film. The film raises innumerable issues related with human relations, human perceptions, politics, history, philosophy, language and conceptualizations, film making. The film is made in 3D and like many modern films lack the linear narrative structure. And like almost all Godard movies, it is very difficult to comprehend to the extent that many critics have bashed it. Godard portrays a kind of collage on silver screen, where you find characters talking; narrative voice putting philosophical comments, graffiti in background, camera angles, everything together; and everything portrays the complex sets of meanings.             The present article discusses vari...

સત્તા અને સંસ્થા: ‘અભુ મકરાણી’થી ‘મિર્ચ મસાલા’ સુધી

૧. જે સંસ્થાઓ આપણને મનુષ્ય તરીકેનો દરજ્જો પૂરો પડે છે, એ જ સસ્થાઓ આપણને આપણા મુખ્ય હક અને ફરજનો ભંગ કરતા પણ શીખવી શકે છે. શું થાય જો આપણે જેમને હમેશા સત્તાના કેન્દ્રથી દુર રાખ્યા છે, એ પોતે જ વિકેન્દ્રીકરણ લઇને તમારી સત્તાને જોખમમાં મુકે? શું થાય જયારે આપણા રક્ષક જ આપણો શિકાર કરવા નીકળે? શું થાય જો તમારી સંસ્થા જ તમારી વિરુદ્ધમાં હોય, ભલે પછી એ સંસ્થા રાજકીય હોય કે કૌટુંબિક? સોનબાઇ અને સરસ્વતી તમારી સમક્ષ આવા કેટલાક પ્રશ્નો મુકે છે ફિલ્મ ‘મિર્ચ મસાલા’ ના માધ્યમ દ્વારા. સાથે સાથે અભુ મિયાં આખા ગામની વિરુદ્ધમાં જઈ ફરજ નહિ પણ ‘ઈમાન’ની વાત કરતા પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે. એ પણ એ સ્ત્રીઓને બચાવવા જેમને એમના જ ગામે સુબેદારને સોંપી દીધી છે. ૨. ફિલ્મ ‘મિર્ચ મસાલા’ ૧૯૮૫માં કેતન મેહતા દ્વારા દિગ્દર્શિત હિન્દી ફિલ્મ હતી, જેને રાષ્ટ્રીય સ્તર પર બહુમાન પ્રાપ્ત છે. ફિલ્મની મુખ્ય કથાવસ્તુ ચુનીલાલ મડીયાની ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ પર આધારિત હતી. પરંતુ ફિલ્મ એક સામાન્ય રૂપાંતર કરતા વધુ કહી આપે છે. ફિલ્મ વાર્તાના નાના કથાનકને સંદર્ભ પૂરો પાડે છે અને વાર્તાને સામાન્ય જનતા માટે ગ્રાહ્ય બ...